ધનતેરસ (Dhanteras) કારતક માસની સુદ તેરસના રોજ ઉજવાય છે. આ દિવસે કઈંક નવું ખરીદવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ ખરીદવામાં આવે છે તેમાં લાભ થાય છે, ધન સંપત્તિમાં વધારો થાય છે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી ખુબ જ શુભ મનાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભ મૂહુર્ત અને સમય
25 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી થઈ રહી છે. ધનતેરસના દિવસે લક્ષ્મીની સાથે ધનવંતરી દેવની પૂજા પણ કરાય છે. માન્યતા છે કે આજના દિવસે સમુદ્ર મંથનથી ધનવંતરી દેવ પ્રગટ થયાં. ધન્વનંતરીના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજાની સાથે સાથે યમદેવની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે પૂજાનું ખાસ મૂહુર્ત સાંજે 7:08 વાગ્યાથી રાતે 8:14 વાગ્યા સુધી છે. 


જુઓ LIVE TV



ધનતેરસના દિવસે વાસણો અને સોના ચાંદીના આભૂષણોની ખરીદી  કરવી શુભ મનાય છે. ધનતેરસનો દિવસ ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે.